click here to go to advertiser's link
Visitors :  
08-Sep-2025, Monday
Home -> Anjar -> Yash Tomar murder case Both accused sent to police custody
Wednesday, 22-Nov-2023 - Anjar 31400 views
યશના હત્યારા ૨૭ નવેમ્બર સુધી પોલીસ રીમાન્ડ પરઃ બનાવનું કરાશે રીકન્સ્ટ્રક્શન
કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના યશ તોમરના અપહરણ અને હત્યા કેસમાં ઝડપાયેલાં બે આરોપીના કૉર્ટે એક સપ્તાહના રીમાન્ડ મંજૂર કર્યાં છે. આરોપી રાજેન્દ્ર ઊર્ફે રાજુ કાલરીયા (પટેલ) અને કિશન માવજીભાઈ સીંચ (મહેશ્વરી)ને આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંજારની ચીફ કૉર્ટમાં રજૂ કરાયાં હતાં. પોલીસે ૧૦ દિવસના રીમાન્ડની માંગણી કરી હતી.

પોલીસે રજૂ કરેલાં રીમાન્ડ માટેના ગ્રાઉન્ડના આધારે કૉર્ટે બેઉ આરોપીને ૨૭ નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યાં છે.

રાજુએ યશની હત્યા કર્યાં બાદ તેનું મોપેડ, મોબાઈલ ફોન, કૉલેજ બેગ વગેરે ચીજવસ્તુ ક્યાં છૂપાવ્યાં છે અથવા ક્યાં અને કેવી રીતે તેનો નાશ કર્યો છે, હત્યા બાદ ખાડો દાટવામાં વાપરેલાં પાવડા, હત્યા માટે ઉપયોગમાં લેવાયેલી લોખંડની પાઈપ, રસ્સો ક્યારે અને ક્યાંથી ખરીદેલાં, હત્યા બાદ તે ક્યાં છૂપાવ્યાં છે, હત્યા કર્યાં બાદ બેઉ આરોપીઓએ બે સપ્તાહ સુધી શું કર્યું હતું, રાજુએ અમદાવાદ જઈને શું કરેલું તે સહિતની વિવિધ બાબતો અંગે તપાસ અને પૂરાવા એકઠાં કરવાના આધાર પર પોલીસે રીમાન્ડની માગ કરી હતી. હત્યા કેસમાં નિષ્ણાતોને સાથે રાખીને સમગ્ર ગુનાનું રીકન્સ્ટ્રક્શન કરવાનું પણ આયોજન છે.

Share it on
   

Recent News  
ડીપ ડીપ્રેશન કચ્છ પાક. તરફ આવે છેઃ વાવાઝોડામાં ફેરવાવાની ભીતિઃ હજુ બે દિવસ ભારે
 
દીકરીને ભગાડી જઈને પ્રેમલગ્ન કરી લેનારા જમાઈ પર સસરાએ દેશી કટ્ટાથી ફાયરીંગ કર્યુ
 
ગાગોદરઃ સાવકા પુત્રનો માતા પર બળાત્કારઃ ડરી ગયેલી મહિલાએ પિયર જઈ નોંધાવી ફરિયાદ