click here to go to advertiser's link
Visitors :  
02-May-2025, Friday
Home -> Religion -> Why Morari Bapu explains about his Katha Charges and warns Watch here
Friday, 14-Jun-2019 - Mundra 16465 views
મોરારિબાપુને કચ્છના કયા દલાલો સામે નારાજગી દર્શાવી ચોખવટ કરવી પડી? વિડિયો
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરાના એન્કરવાલા અહિંસાધામના નંદી સરોવરમાં કથા કરી રહેલાં જાણીતા રામાયણી કથાકાર મોરારિબાપુએ કથાના છઠ્ઠા દિવસે વ્યાસપીઠ પરથી નારાજગી વ્યક્ત કરી મોઘમમાં દલાલો પર પ્રહારો કર્યાં હતા.
Video :
આયોજકો પાસેથી એક પૈસો લીધા વગર કથા કરતાં મોરારિબાપુ વિશે ‘નાણાં લઈ કથા કરતાં હોવાની’ કચ્છમાં અમુક લોકો વાતો ફેલાવતાં હોવાનું ધ્યાને આવતાં બાપુએ કડક શબ્દોમાં નારાજગી દર્શાવી ચાબખાં માર્યાં હતા.

વ્યાસપીઠ પરથી તેમણે કહ્યું હતું કે, ‘દલાલો તમે મુંબઈ જઈ દલાલી કરજો..તલગાજરડામાં તમે ઉઘાડા પડી જશો અને એ મને નહીં ગમે’ આમ કહીને બાપુએ મોઘમમાં જ એ દલાલોને કડક સંદેશ આપી દીધો હતો! તેમણે જણાવ્યું કે, ‘કચ્છમાં ચાર-પાંચ વરસે કથા યોજાતી હોઈ અમુક લોકો આવી ભ્રમણાઓ ફેલાવે છે. બાકી પોતે આયોજક સાથે જ કથાના આયોજન અંગે સીધી વાત કરે છે, કોઈ વચેટિયા કે પીએ રાખ્યા જ નથી અને એક પૈસો લીધા વગર કથા કરે છે. પોતે કથાસ્થળે આવવા-જવાનું ભાડું પણ નથી લેતાં’ કથામાં ચોખવટ કરતા બાપુએ ઉમેર્યું હતું કે ‘હું તમારું પાણી’ય પીતો નથી ને જે પૃથ્વી પર રહું છું એ પણ મારી જ છે. અહિંસાધામ એ તમારી જગ્યા છે? દસ્તાવેજ તમારે નામ છે, છે તો મારી જ.’

Share it on
   

Recent News  
ભચાઉમાં શિક્ષક પર છરીથી હુમલો કરી બાઈકસવાર ત્રિપુટી મોબાઈલ ફોન લૂંટીને ફરાર
 
અંજારની વેલસ્પન કંપનીમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયોઃ સગો મોટો ભાઈ નીકળ્યો હત્યારો
 
નલિયામાં ‘પીધેલો’ હેડ કોન્સ્ટેબલ અને માંડવીમાં ‘ચકચુર’ હોમગાર્ડ અધિકારી ઝડપાયાં