click here to go to advertiser's link
Visitors :  
02-May-2025, Friday
Home -> Nakhatrana -> Burglary in Temple at Ranara village Nakhtrana
Wednesday, 01-May-2024 - Nakhtrana 33259 views
નખત્રાણાના રાણારામાં વાંકોલ માતાના મંદિરેથી ૨૫ હજાર રોકડાં ભરેલી દાનપેટીની ચોરી
કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ નખત્રાણાના રાણારા (મોટા) ગામના મંદિરમાં ગત જાન્યુઆરી માસની આખરમાં થયેલી ચોરીનો બનાવ ત્રણ મહિના બાદ રહી રહીને પોલીસ ચોપડે ચઢ્યો છે! ગત ૨૬-૨૭ જાન્યુઆરીની રાત્રે રબારી સમાજની વસાહત વચ્ચે આવેલા વાંકોલ માતાજીના મંદિરમાં અજાણ્યા શખ્સોએ ત્રાટકીને દાનપેટીમાં રહેલાં ૨૫ હજાર રોકડાં રૂપિયાની ચોરી કરી હતી.

મંદિરની દાનપેટી સ્ટીલની ગ્રીલમાં ફીટ કરેલી, તસ્કરો ગ્રીલ તોડીને દાનપેટી ઉઠાવી ગયાં હતાં. વહેલી પરોઢે ગ્રામજનોને ખબર પડતાં તેમણે ચોરનું પગેરું દબાવતાં આગળ જતાં મોટર સાયકલના પૈડાંની છાપ જોવા મળી હતી. થોડેક દૂર તાળું તૂટેલી ખાલી દાન પેટી મળી આવી હતી. ત્રણ મહિના બાદ આ મામલે ફરિયાદ નોંધાઈ છે ત્યારે આરોપી પકડાયાં બાદ પોલીસે મામલો ચોપડે ચઢાવ્યો છે કે કેમ તે અંગે સંદેહ સર્જાયો છે.

Share it on
   

Recent News  
ભચાઉમાં શિક્ષક પર છરીથી હુમલો કરી બાઈકસવાર ત્રિપુટી મોબાઈલ ફોન લૂંટીને ફરાર
 
અંજારની વેલસ્પન કંપનીમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયોઃ સગો મોટો ભાઈ નીકળ્યો હત્યારો
 
નલિયામાં ‘પીધેલો’ હેડ કોન્સ્ટેબલ અને માંડવીમાં ‘ચકચુર’ હોમગાર્ડ અધિકારી ઝડપાયાં