કચ્છખબરડૉટકોમ, આદિપુરઃ આદિપુરના અંતરજાળ નજીક આવેલા પાતાળિયા હનુમાન સામે આવેલા તળાવમાં ડૂબી જવાથી સાળા બનેવીના મોત નીપજ્યાં છે. દુર્ઘટના શનિવારે બપોરે બની હતી. મરણ જનાર ઈશ્વર મહાદેવભાઈ મોદી (ઉ.વ. ૨૮, રહે. વાઘાસણ, થરાદ, બનાસકાંઠા) અને તેનો સાળો સંજય જીવાભાઈ મોદી (ઉ.વ. ૧૯, રહે. આશાપુરા સોસાયટી, કિડાણા, ગાંધીધામ) બેઉ તેમની બાઈકને ધોવા તળાવ પર આવ્યાં હતાં. મોડી સાંજ સુધી પરત ના ફરતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરતાં તળાવની પાળે બંનેની મોટર સાયકલ અને ચંપલો મળી આવતાં કશુંક અજુગતું થયું હોવાની શંકા ઘેરી બની હતી.
રાત્રિનું અંધારુ થઈ ગયું હોવા છતાં સ્થાનિક લોકો અને તરવૈયાઓએ બંનેની તળાવમાં શોધખોળ શરૂ કરી હતી.
મધરાત્રે ત્રણ વાગ્યે એકનો મૃતદેહ મળી આવ્યો હતો અને બીજાની લાશ આજે સવારે ૧૧ વાગ્યે મળી આવી હતી. બનાવ અંગે આદિપુર પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ પાડી પીઆઈ એમ.સી. વાળાએ તપાસ હાથ ધરી છે. સાળા બનેવીના મોત થતાં પરિવારમાં ઘેરો માતમ છવાઈ ગયો છે.
Share it on
|