click here to go to advertiser's link
Visitors :  
03-Jun-2025, Tuesday
Home -> Gandhidham -> Two drown in lake near Antarjal Aadipur
Sunday, 01-Jun-2025 - Aadipur 6004 views
અંતરજાળ નજીક તળાવમાં સાળા બનેવીના ડૂબી જવાથી મોતઃ કિડાણાના મોદી પરિવારમાં માતમ
કચ્છખબરડૉટકોમ, આદિપુરઃ આદિપુરના અંતરજાળ નજીક આવેલા પાતાળિયા હનુમાન સામે આવેલા તળાવમાં ડૂબી જવાથી સાળા બનેવીના મોત નીપજ્યાં છે. દુર્ઘટના શનિવારે બપોરે બની હતી. મરણ જનાર ઈશ્વર મહાદેવભાઈ મોદી (ઉ.વ. ૨૮, રહે. વાઘાસણ, થરાદ, બનાસકાંઠા) અને તેનો સાળો સંજય જીવાભાઈ મોદી (ઉ.વ. ૧૯, રહે. આશાપુરા સોસાયટી, કિડાણા, ગાંધીધામ) બેઉ તેમની બાઈકને ધોવા તળાવ પર આવ્યાં હતાં.

મોડી સાંજ સુધી પરત ના ફરતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરતાં તળાવની પાળે બંનેની મોટર સાયકલ અને ચંપલો મળી આવતાં કશુંક અજુગતું થયું હોવાની શંકા ઘેરી બની હતી.

રાત્રિનું અંધારુ થઈ ગયું હોવા છતાં સ્થાનિક લોકો અને તરવૈયાઓએ બંનેની તળાવમાં શોધખોળ શરૂ કરી હતી.

મધરાત્રે ત્રણ વાગ્યે એકનો મૃતદેહ મળી આવ્યો હતો અને બીજાની લાશ આજે સવારે ૧૧ વાગ્યે મળી આવી હતી. બનાવ અંગે આદિપુર પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ પાડી પીઆઈ એમ.સી. વાળાએ તપાસ હાથ ધરી છે. સાળા બનેવીના મોત થતાં પરિવારમાં ઘેરો માતમ છવાઈ ગયો છે.

Share it on
   

Recent News  
શેર માર્કેટમાં લાભ થવાનું ગાજર લટકાવી ભુજના યુવકે ૮.૨૭ લાખ રૂપિયાની ઠગાઈ કરી
 
સયાજીનગરીમાં દાગીના ભરેલી બેગને ઓશીકું બનાવી સૂઈ રહેલી બાળાની બેગ ચોરાઈ ગઈ!
 
આંતરિક ઝઘડામાં કિન્નરોના જૂથે આખો દિવસ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે મચાવ્યો હોબાળો