કચ્છખબરડૉટકોમ, લાકડીયાઃ ભચાઉના લાકડીયા નજીક રામદેવપીર વાંઢમાં અજાણી સ્ત્રી નવજાત શિશુને ઉકરડામાં ત્યજી ગઈ હોવાનો બનાવ બહાર આવ્યો છે. સવારે આઠ વાગ્યાના અરસામાં ઉકરડામાં છાણ કચરામાં ફસાયેલાં શિશુના રૂદનનો અવાજ આવતાં વાંઢના લોકો એકત્ર થઈ ગયાં હતા. બાળકને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે લાકડીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડાયું હતું. અહીં રહેતા હેમરાજ કોલીએ બાળકને જીવતું ત્યજી દેનારી અજાણી માતા સામે લાકડીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ગત મધરાત્રે બાર વાગ્યાથી લઈ આજે સવારના આઠ વાગ્યા દરમિયાન ગમે તે સમયે અજાણી માતાએ આ બાળકને ઉકરડામાં ફેંકી દીધું હોવાનું અનુમાન છે. ત્યજી દેવાયેલો બાળક પુત્ર છે.
દીકરાને જણનારી જનનીએ એવી તે કઈ મજબૂરીથી કાળજું કઠણ કરીને ‘કાળજાના કટકા’ને જીવતો ઉકરડા ફેંકી દીધો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
Share it on
|