click here to go to advertiser's link
Visitors :  
29-May-2025, Thursday
Home -> Bhuj -> These trains will be cancelled due to block near Bhimasar Read more
Tuesday, 27-May-2025 - Bhuj 4735 views
ભીમાસર પાસે બ્લોકના લીધે ભુજ ગાંધીધામથી ગુરુ શુક્રવારે આ ૪ ટ્રેન નહીં દોડે, જાણો
કચ્છખબરડૉટકોમ, ભુજઃ સામખિયાળી ગાંધીધામ સેક્શનના ભીમાસર સ્ટેશન પર નોન ઈન્ટરલોકિંગ કામના કારણે ગુરુ અને શુક્રવારે ભુજ તથા ગાંધીધામથી ઉપડતી ચાર ટ્રેન રદ્દ કરી દેવાઈ છે. અમદાવાદ ડિવિઝન દ્વારા આ બ્લોક જાહેર કરાયો છે. બ્લોકના કારણે ૨૯ મેના અમદાવાદથી ઉપડી ભુજ આવતી નમો ભારત રેપિડ રેલ કેન્સલ કરાઈ છે. તેથી બીજા દિવસે  સવારે એટલે કે ૩૦ મેના રોજ ભુજથી અમદાવાદ જતી વળતી ટ્રીપ રદ્દ થઈ ગઈ છે. ૨૯ અને ૩૦ મે એમ બે દિવસ સુધી ભુજથી રાજકોટ જતી ઈન્ટરસીટી પણ રદ્દ રહેશે.

એ જ રીતે, ૨૯ અને ૩૦ મેના બે દિવસ પૂરતી ગાંધીધામ પાલનપુર ગાંધીધામ ટ્રેન પણ રદ્દ રહેશે. તો, ૨૮ અને ૨૯ મેના રોજ જોધપુરથી ઉપડી ગાંધીધામ આવતી એક્સપ્રેસ બંને દિવસ રદ્દ રહેશે. જેથી, ગાંધીધામથી ૨૯ અને ૩૦ મેના રોજ દોડનારી વળતી ટ્રીપ પણ કેન્સલ થઈ છે.

Share it on
   

Recent News  
ગાંધીધામ DGGIએ નવતર આર્થિક સ્કેમનો કર્યો પર્દાફાશઃ દિલ્હીના બે શખ્સોની ધરપકડ
 
કચ્છની ૪૦૭ પંચાયતોમાં ૨૨ જૂને ચૂંટણીઃ અનેક ગામોમાં વહીવટદાર રાજનો આવશે અંત
 
SMCએ ભુજમાં બીજીવાર દરોડો પાડી ચાલતી કારમાં ઓનલાઈન સટ્ટો રમાડતાં બુકીને ઝડપ્યો