click here to go to advertiser's link
Visitors :  
13-Jun-2025, Friday
Home -> Bhuj -> Supreme Court Stays Gujarat High Court Order To Retrieve Land Allotted To Adani Port
Wednesday, 10-Jul-2024 - Bhuj 25318 views
અદાણી પોર્ટને ફાળવાયેલી નવીનાળની ગૌચર જમીન પરત લેવાના નિર્ણય સામે સુપ્રીમનો સ્ટે
કચ્છખબરડૉટકોમ, ભુજઃ મુંદરાના નવીનાળ ગામની ૧૦૮ હેક્ટર ગૌચર જમીન અદાણી પોર્ટ એન્ડ સેઝ પાસેથી પરત લેવાના ગુજરાત હાઈકૉર્ટના નિર્ણય સામે સુપ્રીમ કૉર્ટે સ્ટે આપ્યો છે. ૨૦૦૫માં ગુજરાત સરકારે નવીનાળ સહિત ત્રણ ગામના ગૌચરની ૧૨૯ હેક્ટર જમીન અદાણી જૂથને પોર્ટ તથા સેઝનો વિકાસ કરવા ફાળવી હતી. જમીન ફાળવણી પેટે રાજ્ય સરકારે અદાણી જૂથ પાસેથી ૩૦ ટકા પ્રિમિયમ વસૂલી ૩૭.૩૯ લાખ રુપિયા વસૂલ્યાં હતાં.

સરકારે આ ગામોને બદલામાં ગૌચરની વૈકલ્પિક જમીન ફાળવવા જણાવ્યું હતું. જો કે, નવીનાળ ગામને ગામથી દૂર અલગ અલગ ટૂકડામાં ગૌચરની વૈકલ્પિક જમીન ફાળવતાં ૨૦૧૧માં નવીનાળ ગ્રામ પંચાયતે ગુજરાત હાઈકૉર્ટમાં અરજી દાખલ કરેલી. સુનાવણી દરમિયાન હાઈકૉર્ટે ગામને ગામમાં જ ગૌચર જમીન ઉપલબ્ધ કરાવવા સૂચના આપતાં ગુજરાત સરકારે નવીનાળની ૧૦૮ હેક્ટર ગૌચર સહિતની ૧૨૯ હેક્ટર જમીન પરત લેવા ઠરાવ કર્યો હતો. ગત શુક્રવારે હાઈકૉર્ટમાં સુનાવણી દરમિયાન આ ઠરાવ અંગે ગુજરાત સરકારને જાણ કરી હતી. સરકારના આ નિર્ણયનો અદાણી જૂથે વિરોધ કરી સુપ્રીમમાં અરજી કરતાં આજે સ્ટે મળ્યો છે.

Share it on
   

Recent News  
નકલી નોટોથી ઠગાઈ થાય તે અગાઉ LCBએ રહેણાકમાં રેઈડ કરી ૬ ચીટરને રંગેહાથ પકડ્યાં
 
એકતરફી પ્રેમાંધ પીપરના યુવકે યુવતીની હત્યા કરીઃ જખણિયામાં ભુજના યુવકની હત્યા
 
એવું શું થયું કે અમદાવાદમાં એર ઈન્ડિયાનું ડ્રીમ લાઈનર આગનો ગોળો બની ક્રેશ થયું?