click here to go to advertiser's link
Visitors :  
26-Jun-2025, Thursday
Home -> Bhuj -> SMC raid in Mankyva PI and PSI sent to head quarter instead of suspension
Monday, 23-Jun-2025 - Bhuj 8830 views
માનકૂવા PI PSI માટે જાણે ‘સૂળીનો ઘા સોયથી સર્યો’ SP, DySPની સમીક્ષા કોણ કરશે?
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ તાલુકાના માનકૂવા પોલીસ સ્ટેશનની હદમાં આવતા કેરા ગામની સીમમાં ૧.૨૮ કરોડ રૂપિયાની કિંમતનો જંગી માત્રામાં ઈંગ્લિશ દારૂ ઝડપાતાં સરહદી પશ્ચિમ કચ્છની પોલીસ પર બટ્ટો લાગ્યો છે. ગણતરીના ૫૪ દિવસમાં SMCએ હરતી ફરતી કારમાં ઓનલાઈન સટ્ટો બુક કરતાં બે બુકી અને ત્રગડી સાથે કેરામાં દારૂના બે ક્વૉલિટી કેસ કરતાં પોલીસની નિષ્ક્રિયતા નહીં પરંતુ નિયત પર સવાલો ખડાં થયાં છે.

SMCની રેઈડના પગલે માનકૂવાના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એમ. રાણા અને પીએસઆઈ એચ.એમ. બ્રહ્મભટ્ટને પોલીસ હેડક્વાર્ટરમાં ટ્રાન્સફર કરી દેવાયાં છે. પોલીસ સૂત્રોનું માનીએ તો ખરેખર તો બેઉ જણ પરથી ‘સૂળીનો ઘા સોય’થી સર્યો છે. કારણ કે, એક માસ અગાઉ માંડવી મરિન પોલીસ મથકની હદના ત્રગડી ગામે SMCએ રેઈડ કરી તે સાંજે જ એસપીએ માંડવી મરિનના પીઆઈ ડી.એન. વસાવા અને બીટ જમાદાર પ્રદ્યુમ્નસિંહ જાડેજાને સસ્પેન્ડ કર્યાં હતાં જ્યારે લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એસ.એમ. ચુડાસમાની હેડ ક્વાર્ટરમાં મૂક્યાં હતા.

SP DySP દૂધે ધોયેલાં હોય છે?

SMCની રેઈડના પગલે તાબાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે એસઓપી મુજબ પગલાં લેવાય છે પરંતુ આવા બનાવોમાં ખુદ SP કે DySP જેવા અધિકારીઓની જવાબદારી ભાગ્યે જ ફિક્સ થાય છે. આ અધિકારીઓની જવાબદારી લૉ એન્ડ ઓર્ડરના મોનિટરીંગ તથા ક્રાઈમ પ્રિવેન્શનની છે. વક્રતા એ છે કે આ SP કે DySP જેવા અધિકારીઓની જવાબદારી યા બેજવાબદારી નિયત કરવાની જેના માથે જવાબદારી છે તે ગુજરાતના પોલીસ વડાને પણ કદાચ પોતાની જવાબદારી શું છે તેનું ભાન ના હોય તેવું પશ્ચિમ કચ્છમાં ઘટી રહેલી સંખ્યાબંધ ઘટનાઓથી પરથી અનુમાન લગાડાય છે.

SP, ASP કે DySP જેવા IPS હોય કે IAS અધિકારી, તે દૂધે ધોયેલાં હોય તેવું માનવાને કોઈ કારણ નથી. દેશમાં અનેક IPS અને IAS અધિકારી ભ્રષ્ટાચારના ગંભીર ગુનાઓમાં ઝડપાયેલાં છે.

પશ્ચિમ કચ્છમાં ખુલ્લેઆમ દારૂ જુગારના અડ્ડાઓ ધમધમવા માંડે તો જનતા જ સ્વયંભૂપણે વિરોધમાં ઉતરી આવે તેવી આ જિલ્લાની તાસીર છે. કચ્છને કમાવાનો જિલ્લો માનીને આવેલાં અનેક અધિકારીઓ કદાચ આ જ મુદ્દે ભીંત ભૂલી રહ્યાં છે. હકીકતે પશ્ચિમ કચ્છ જેવા સરહદી જિલ્લામાં નિષ્ઠાવાન અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓની નિમણૂક થાય તે જરૂરી છે, નહિ કે એવા અધિકારીઓ કે જે કોઈ રાજકીય પક્ષના બે ટકાના નેતા કે કાર્યકરનો ફોન આવતાં જ ‘સર સર’ કરીને પોતાની બંધારણીય ફરજ ભૂલીને રાજકીય નેતાના ગુલામ બનીને ગેરકાયદે કૃત્યો કરે.

Share it on
   

Recent News  
ગાંધીધામમાં મોંઘી બ્રાન્ડના શરાબની બોટલોમાં સસ્તો દારૂ ભરી વેચવાનું કારસ્તાન!
 
સાડીના ધંધામાં ભાગીદાર બનવા લાલચ આપી મુંબઈનો ગઠિયો ૧.૬૦ લાખ રૂપિયા હજમ કરી ગયો
 
ભચાઉઃ RO પ્લાન્ટના માલિકે ગેરકાયદે જોડાણ લઈ ૯૩ લાખનું દોઢસો MLD પાણી ચોરી લીધું!