click here to go to advertiser's link
Visitors :  
13-Dec-2025, Saturday
Home -> Bhuj -> NRI Family from Kodaki Kutch feared dead in Ahmedabad plane crash
Thursday, 12-Jun-2025 - Bhuj 58801 views
અમદાવાદ ગોઝારા પ્લેન ક્રેશમાં કોડકીના NRI માતા, પુત્ર અને પૌત્રના મૃત્યુની ભીતિ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ અમદાવાદની ગોઝારી વિમાન દુર્ઘટનામાં માદરે વતન કચ્છથી લંડન પરત જઈ રહેલા કોડકી ગામના એનઆરઆઈ પરિવારના પિતા-પુત્ર અને માતાના મૃત્યુ થયાની આશંકા સેવાઈ રહી છે. મૂળ કોડકી ગામના વતની સુરેશભાઈ ધનજીભાઈ હિરાણી (પટેલ) (ઉ.વ. અંદાજે ૫૫) એકાદ માસ અગાઉ કોડકી ગામે આયોજીત સંપ્રદાયના ધાર્મિક પ્રસંગમાં ભાગ લેવા લંડનથી માતા રાધાબાઈ (ઉ.વ. ૮૫) અને પરિણીત પુત્ર અશ્વિન હિરાણી ઊર્ફે હેરિંગ્ટન (૨૬) સાથે આવ્યા હતા.

આજે સપરિવાર તેઓ અમદાવાદથી દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં બેસી પરત લંડન જવા નીકળ્યાં હતા. પ્લેન ક્રેશની ઘટનાના પગલે કોડકીમાં વસતાં નજીકના સ્વજનો ઘેરાં આઘાતમાં સરી પડ્યાં છે. આ ભયંકર દુર્ઘટનામાં ત્રણે જણના મૃત્યુ થયાની આશંકા સેવાઈ રહી છે. જો કે, આ અંગે હજુ સુધી સ્વજનોને કશી સત્તાવાર જાણકારી પ્રાપ્ત થઈ નથી. સ્વજનો અમદાવાદ જવા રવાના થઈ ગયાં છે.

Share it on
   

Recent News  
રાપરના શાનગઢના રહીશ હોવાના નકલી સર્ટિ. પર ૮ પરપ્રાંતીય યુવકે CISFમાં નોકરી મેળવી
 
ભુજઃ પત્નીને આડો સંબંધ હોવાનો વહેમ રાખી પતિએ ધારિયું ઝીંકી પત્નીને રહેંસી નાખેલી
 
વાંઢિયાના કિસાનોના આંદોલનમાં અણધાર્યો વળાંકઃ વોંધ પાસે કિસાન સંઘનો ચક્કાજામ