click here to go to advertiser's link
Visitors :  
13-Jun-2025, Friday
Home -> Bhuj -> Supreme Court allows bail to Manisha Goswami in Bhanushali murder case
Monday, 29-Jul-2024 - Bhuj 63985 views
જેન્તી ભાનુશાલી હત્યા કેસની મહત્વની આરોપી મનીષા ગોસ્વામીને સુપ્રીમે આપ્યા જામીન
કચ્છખબરડૉટકોમ, ભુજઃ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જેન્તી ભાનુશાળીની ચાલતી ટ્રેનમાં હત્યા કરવાના ગુનામાં નવેમ્બર ૨૦૧૯થી જેલમાં બંધ મનીષા ગોસ્વામીને સુપ્રીમ કૉર્ટે જામીન આપ્યાં છે. જાન્યુઆરી માસમાં ભાનુશાળીની ચાલતી ટ્રેનમાં હત્યા થયાં બાદ મનીષા અને તેનો સાગરીત સુરજીત પરદેશ ઊર્ફે ભાઉ બેઉ નાસતાં ફરતાં રહ્યાં હતા અને નવેમ્બર માસમાં યુપીના પ્રયાગરાજથી પકડાયાં હતાં.

પ્રાપ્ત વિગતો મુજબ અગાઉ સર્વોચ્ચ અદાલતે હત્યા કેસની ટ્રાયલ ઝડપથી ચલાવવા હુકમ કરેલો પરંતુ તેનું પાલન ના થતાં કૉર્ટે પ્રી ટ્રાયલ કન્વિક્શન ગણીને મનીષાને જામીન પર મુક્ત કરી દીધી છે. જો કે, માધાપરના યુવકને હની ટ્રેપ કરી મરવા માટે મજબૂર કરવાના ગુનામાં મનીષાને જામીન મળ્યાં નથી. તેથી તે હજુ જેલમાં જ રહેશે. સુપ્રીના આ હુકમ બાદ ભાનુશાલી હત્યા કેસ સબબ હાલ જેલમાં રહેલાં અન્ય આરોપીઓ માટે પણ જામીન મેળવવા માટે આશાનું નવું કિરણ ફૂટ્યું છે.

Share it on
   

Recent News  
નકલી નોટોથી ઠગાઈ થાય તે અગાઉ LCBએ રહેણાકમાં રેઈડ કરી ૬ ચીટરને રંગેહાથ પકડ્યાં
 
એકતરફી પ્રેમાંધ પીપરના યુવકે યુવતીની હત્યા કરીઃ જખણિયામાં ભુજના યુવકની હત્યા
 
એવું શું થયું કે અમદાવાદમાં એર ઈન્ડિયાનું ડ્રીમ લાઈનર આગનો ગોળો બની ક્રેશ થયું?