કચ્છખબરડૉટકોમ, માંડવીઃ માંડવી તાલુકાના ફરાદી ગામે તળાવમાં ન્હાવા પડેલાં બે સગા ભાઈ અને એક પિતરાઈ સહિત ત્રણ કિશોરોના ડૂબી જવાથી મોત થયાં છે. આજે બપોરે અઢીથી ત્રણ વાગ્યાના અરસામાં આ કરૂણાંતિકા સર્જાઈ હતી. મરનાર ચૌહાણ નાઝીર હુસેન લતીફ (ઉ.વ. 15) અને તેનો ભાઈ કરીમ લતીફ (ઉ.વ.13) તેમજ પિતરાઈ ભાઈ મોહમ્મદ રેહાન રઝાક (ઉ.વ.13) ત્રણેય જણાં સીમમાં આવેલા તળાવમાં ન્હાવા પડ્યા હતા. જેમાં આ દુર્ઘટના ઘટી હતી. ત્રણેય કિશોરને માંડવીની સરકારી હોસ્પિટલે લઈ જવાતાં બનાવ પ્રકાશમાં આવ્યો હતો. બનાવ અંગે માંડવી પોલીસે તપાસ હાથ ધરી છે. દુર્ઘટના બાદ તેમના પરિવારજનોના આક્રંદે સૌને હચમચાવી મુક્યાં છે. ઘટનાની વધુ વિગતો મેળવાઈ રહી છે.
Share it on
|