કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામના માથાભારે અને નામચીન શખ્સ મનીષકુમાર વિનોદભાઈ મુલચંદાણી (ઉ.વ.27, રહે. વોર્ડ-6/A, સિંધુનગર, આદિપુર) પર પૂર્વ કચ્છ પોલીસે પાસાનું શસ્ત્ર ઉગામી તેને સુરતની જેલભેગો કરી દીધો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચે મનીષ વિરૂધ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. જેને જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરે મંજૂર કરતાં એલસીબીએ આજે સવારે તેની ધરપકડ કરી સુરતની લાજપોર જેલ ખાતે મોકલી આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, આરોપી ગાંધીધામ સંકુલમાં માથાભારે શખ્સ તરીકે કુખ્યાત છે. સંદિપ સાહની મર્ડર કેસમાં તે આરોપી હતો. તે ઉપરાંત તેની સામે મારામારી-દાદાગીરી કરવાના વિવિધ ગુના દાખલ થયેલા હતા. કામગીરીમાં એલસીબી પીઆઈ એચ.એલ.રાઠોડ, પીએસઆઈ એમ.કે.ખાંટ સહિતનો સ્ટાફ જોડાયો હતો.
Share it on
|